A letter from dad to His son... આ પત્ર હું - TopicsExpress



          

A letter from dad to His son... આ પત્ર હું તને ૩ કારણોસર લખું છું .. ૧) જીવન, નસીબ અને મૃત્યુ કોઈ જાની શક્યું નથી. તો અમુક વાત જરૂરી છે કે વહેલા માં વહેલી જ કહી દેવાય . ૨) હું તારો પિતા છું અને આવી વાત જો હું નહિ કહું તો તને કોઈ જ નહિ કહી શકે. ૩) આ બધી વાત હું મારા અનુભવ થી કહું છું અને જો હું નહિ કહું તો પણ તું તારા જીવન થી શીખીશ જ પણ ત્યારે તને વધુ તકલીફ પડશે અને કદાચ સમય પણ નહિ હોય.. જીવન સારુંને શાંતિ થી જીવવા આટલું જ કરજે ૧) જો કોઈ તારી સાથે સારો વ્યવહાર નો કરે તો મન માં નો લાવીસ. તારી સાથે સારી રીતે વર્તવા ની ફરજ ફક્ત મારી અને તારી મમ્મીની જ છે. બાકી દુનિયા નો કોઈ પણ વ્યક્તિ તને દુખ આપી શકે છે. તો એના માટે માનસિક રીતે હમેશા તૈયાર જ રેહવું . કોઈ પણ તારી સાથે સારું વર્તન કરે તો એનો આભાર વ્યક્ત કરવો પણ હમેશા સાવચેત રેહવું. આ દુનિયામાં મારી અને તારા મમ્મી સિવાય બધા નો સારા વ્યવાર પાછળ કોઈ હેતુ / સ્વાર્થ પણ હોઈ શકે. ઉતાવળ માં કોઈ ને સારા મિત્ર નો માની લેવા. ૨) દુનિયા માં કોઈ પણ એવી વસ્તુ નથી કે જેના વગર જીવી નો શકાય. આ વાત તને ખાસ કામ લાગશે જયારે તને કોઈ તરછોડી દેશે કે તારી પસંદ ની વ્યક્તિ કે વસ્તુ તને નહિ મળે. જીંદગી ચાલ્યા જ કરે છે અને બધી વસ્તુ કે વ્યક્તિ વગર ખુશ રેહતા શીખ જે . ૩) જીંદગી ટૂંકી છે. જો તું આજનો દિવસ વેદ્ફીસ તો કાલે તને જીંદગી પૂરી થતી લાગશે. તો જીંદગી ના દરેક દિવસ દરેક પલ નો સદુપયોગ કર. ૪) પ્રેમ બીજું કઈ નથી પણ એક બદલાતી લાગણી જ છે જે સમય અને સંજોગો સાથે બદલાતી રહે છે. તો તારો પ્રેમ તને છોડી જાય તો સંયમ રાખ. સમય દરેક દર્દ ને ભુલાવે જ છે. કોઈ ની સુંદરતા અથવા પ્રેમ માં જરૂરત કરતા વધુ ડૂબી નો જવું એમ જ કોઈ ના દુખ માં પણ જરૂર કરતા વધુ પરેશાન નો થવું. ૫) અભ્યાસ માં ઘણા નબળા માણસો પણ સફળ બન્યા છે. પણ એનો મતલબ એ નથી કે અભણ કે અભ્યાસ માં નબળો માણસ સફળ જ થાય. વીયા થી વધુ કશું જ નથી. ભણવા ના સમયે ધગશ થી ભણો. ૬) હું નથી ઈચ્છતો કે નથી આશા રાખતો કે તું મને મારા વૃદ્ધ સમય માં મદદ કરે. અથવા હું પણ તને આખી જીંદગી સહારો આપી શકીશ કે નહિ? મારી ફરજ તને મોટો કરી, સારું ભણતર આપી પૂરી થાય છે. એ પછી તું limousine / BMW માં ફરીશ કે પછી સરકારી બસ માં એ તારી મેહનત અને આવડત ઉપર નિર્ભર છે. ૭) તું તારું વચન હમેશા પાળજે. પણ બીજા એમનું વચન પાળશે જ એવી આશા નો રાખવી. તું સારું કર પણ બીજા સારું જ કરશે એવી આશા પણ નો રાખવી. જો આ વાત તને સમજાય જશે તો તારા જીવન ના મોટા ભાગ ના દુખ દુર થઇ જશે. ૮) મેં ઘણી લોટરી ની ટીકીટ ખરીદી છે. પણ એક પણ લાગી નથી. જીવન માં એમ નસીબ થી જ અમીર થવાતું નથી. એના માટે ખુબ મેહનત કરવી જ પડે છે. તો મેહનત થી કોઈ દિવસ ભાગતો નહિ. ૯) જીવન ખુબ જ ટૂંકું છે અને કાળ નો ભરોસો નથી તો જેટલો વધુ સમય આપડે સાથે વિતાવી શકીએ વિતાવી લઈએ કારણ કે આવતો જનમ તો આવશે જ પણ એ જનમ માં આપડે મળશું કે નહિ તે ખબર નથી . તો આ જનમ માં વધુ માં વધુ સમય પરિવાર સાથે વિતાવો.
Posted on: Sun, 23 Mar 2014 15:58:05 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015